યથા નદ્યઃ સ્યન્દમાનાઃ સમુદ્રેઽ સ્તં ગચ્છન્તિ નામરૂપે વિહાય । તથા વિદ્વાન્ નામરૂપાદ્વિમુક્તઃ પરાત્પરં પુરુષમુપૈતિ દિવ્યમ્
જેમ નદીઓ વહેતા વહેતા સમુદ્રમાં નામ અને રૂપ છોડીને વિલીન થઈ જાય છે, તેમ જ વિદ્વાન પુરુષ નામ અને રૂપથી મુક્ત થઈ, સર્વોચ્ચ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે.
સ યો હ વૈ તત્ પરમં બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ નાસ્યાબ્રહ્મવિત્કુલે ભવતિ । તરતિ શોકં તરતિ પાપ્માનં ગુહાગ્રન્થિભ્યો વિમુક્તોઽમૃતો ભવતિ
જે મનુષ્ય પરમ બ્રહ્મને સાચે ઓળખે છે, એ પોતે બ્રહ્મરૂપ બની જાય છે; તેના કુળમાં ક્યારેય અબ્રહ્મજ્ઞાની જન્મતો નથી. એ દુઃખ અને પાપને પાર કરે છે અને હૃદયના બંધનોથી મુક્ત થઈ અમર બની જાય છે.
તદેતદૃચાઽભ્યુક્તમ્ । ક્રિયાવન્તઃ શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠાઃ સ્વયં જુહ્વત એકર્ષિં શ્રદ્ધયન્તઃ । તેષામેવૈતાં બ્રહ્મવિદ્યાં વદેત શિરોવ્રતં વિધિવદ્ યૈસ્તુ ચીર્ણમ્
આ વાત ઋચામાં પણ કહી છે: જે કર્મશીલ, શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ છે, પોતે શ્રદ્ધાપૂર્વક એક અગ્નિમાં હવન કરે છે, એમને જ બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપવું, જેમણે શિરોવ્રત યોગ્ય રીતે પાળ્યું છે.
તદેતત્ સત્યમૃષિરઙ્ગિરાઃ પુરોવાચ નૈતદચીર્ણવ્રતોઽધીતે । નમઃ પરમઋષિભ્યો નમઃ પરમઋષિભ્યઃ
આ સાચી વાત છે: ઋષિ અંંગિરાએ પ્રાચીન સમયમાં કહી હતી. જેને શિરોવ્રત પાળ્યું નથી, એ આ શાસ્ત્રનો અભ્યાસ કરી શકતો નથી. પરમ ઋષિઓને વંદન, પરમ ઋષિઓને વંદન.