ન ચક્ષુષા ગૃહ્યતે નાપિ વાચા નાન્યૈર્દેવૈસ્તપસા કર્મણ વા । જ્ઞાનપ્રસાદેન વિશુદ્ધસત્ત્વ- સ્તતસ્તુ તં પશ્યતે નિષ્કલં ધ્યાયમાનઃ
એ આંખથી, બોલથી, અન્ય દેવોથી, તપથી કે કર્મથી પકડાયતું નથી. જ્ઞાનની કૃપાથી, શુદ્ધ મનથી, ધ્યાન દ્વારા એ અવિભાજ્ય સત્ત્વને જોઈ શકાય છે.
એષોઽણુરાત્મા ચેતસા વેદિતવ્યો યસ્મિન્ પ્રાણઃ પઞ્ચધા સંવિવેશ । પ્રાણૈશ્ચિત્તં સર્વમોતં પ્રજાનાં યસ્મિન્ વિશુદ્ધે વિભવત્યેષ આત્મા
આ સૂક્ષ્મ આત્મા મનથી જાણવો જોઈએ, જેમાં પ્રાણ પાંચ ભાગે પ્રવેશ્યો છે. એ આત્મામાં બધા જીવોના મન જોડાયેલા છે; જ્યારે એ શુદ્ધ થાય છે, ત્યારે એ આત્મા પ્રકાશે છે.
યં યં લોકં મનસા સંવિભાતિ વિશુદ્ધસત્ત્વઃ કામયતે યાંશ્ચ કામાન્ । તં તં લોકં જયતે તાંશ્ચ કામાં- સ્તસ્માદાત્મજ્ઞં હ્યર્ચયેત્ ભૂતિકામઃ
જે વ્યક્તિનું મન શુદ્ધ છે, જે જે લોકને મનથી વિચાર કરે છે, જે જે ઈચ્છા કરે છે, એ એ લોક અને ઈચ્છા પ્રાપ્ત કરે છે. તેથી, સુખ ઈચ્છનારએ આત્મજ્ઞને પૂજવો જોઈએ.
સ વેદૈતત્ પરમં બ્રહ્મ ધામ યત્ર વિશ્વં નિહિતં ભાતિ શુભ્રમ્ । ઉપાસતે પુરુષં યે હ્યકામાસ્તે શુક્રમેતદતિવર્તન્તિ ધીરાઃ
એ પરમ બ્રહ્મનું ધામ જાણે છે, જ્યાં આખું વિશ્વ સ્થિર છે, પ્રકાશે છે, શુદ્ધ છે. જે વિવેકી લોકો પુરુષની ઉપાસના કરે છે, અને કોઈ ઈચ્છા નથી રાખતા, એ શુદ્ધ લોકને પાર કરી જાય છે.
કામાન્ યઃ કામયતે મન્યમાનઃ સ કામભિર્જાયતે તત્ર તત્ર । પર્યાપ્તકામસ્ય કૃતાત્મનસ્તુ ઇહૈવ સર્વે પ્રવિલીયન્તિ કામાઃ
જે મનુષ્ય પોતાને કર્તા માને છે અને ઇચ્છાઓ રાખે છે, તે વારંવાર વિવિધ જગ્યાએ ઇચ્છાઓ સાથે જન્મે છે. પણ જેના મનની બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આત્મા સ્થિર છે, તેના માટે અહીં જ બધી ઇચ્છાઓ સમાપ્ત થઈ જાય છે.
નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન । યમેવૈષ વૃણુતે તેન લભ્ય- સ્તસ્યૈષ આત્મા વિવૃણુતે તનૂં સ્વામ્
આ આત્મા વાણીથી, બુદ્ધિથી કે બહુ સાંભળવાથી મળતો નથી. જેને આત્મા પસંદ કરે છે, એને જ એ મળે છે; એના માટે આત્મા પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે.
નાયમાત્મા બલહીનેન લભ્યો ન ચ પ્રમાદાત્ તપસો વાપ્યલિઙ્ગાત્ । એતૈરુપાયૈર્યતતે યસ્તુ વિદ્વાં- સ્તસ્યૈષ આત્મા વિશતે બ્રહ્મધામ
આ આત્મા બળહીનને, અળસુને કે ખોટા તપથી મળતો નથી. પણ જે જ્ઞાનથી પ્રયત્ન કરે છે, એને આ આત્મા બ્રહ્મના ધામમાં પ્રવેશ આપે છે.
સંપ્રાપ્યૈનમૃષયો જ્ઞાનતૃપ્તાઃ કૃતાત્માનો વીતરાગાઃ પ્રશાન્તાઃ તે સર્વગં સર્વતઃ પ્રાપ્ય ધીરા યુક્તાત્માનઃ સર્વમેવાવિશન્તિ
જે ઋષિઓએ આને પ્રાપ્ત કર્યું છે, જ્ઞાનથી તૃપ્ત છે, મનથી સ્થિર છે, રાગરહિત છે અને શાંત છે, એ વિદ્વાનો સર્વત્ર વ્યાપેલા પરમાત્માને પ્રાપ્ત કરીને સર્વમાં એકરૂપ થઈ જાય છે.
વેદાન્તવિજ્ઞાનસુનિશ્ચિતાર્થાઃ સંન્યાસયોગાદ્ યતયઃ શુદ્ધસત્ત્વાઃ । તે બ્રહ્મલોકેષુ પરાન્તકાલે પરામૃતાઃ પરિમુચ્યન્તિ સર્વે
જે યતિઓ શુદ્ધ મનવાળા છે અને વેદાંતના જ્ઞાનમાં દૃઢ છે, સંન્યાસના યોગથી પવિત્ર થયા છે, તેઓ બ્રહ્મલોકમાં જીવનના અંતે સર્વે મુક્ત અને અમર થઈ જાય છે.
ગતાઃ કલાઃ પઞ્ચદશ પ્રતિષ્ઠા દેવાશ્ચ સર્વે પ્રતિદેવતાસુ । કર્માણિ વિજ્ઞાનમયશ્ચ આત્મા પરેઽવ્યયે સર્વે એકીભવન્તિ
જ્યારે પંદર કલાઓ અને બધા દેવતાઓ પોતાના સ્થાનમાં વિલીન થાય છે, ત્યારે બધા કર્મો અને જ્ઞાનમય આત્મા પણ સર્વોચ્ચ અવિનાશી પરમાત્મામાં એકરૂપ થઈ જાય છે.
યથા નદ્યઃ સ્યન્દમાનાઃ સમુદ્રેઽ સ્તં ગચ્છન્તિ નામરૂપે વિહાય । તથા વિદ્વાન્ નામરૂપાદ્વિમુક્તઃ પરાત્પરં પુરુષમુપૈતિ દિવ્યમ્
જેમ નદીઓ વહેતા વહેતા સમુદ્રમાં નામ અને રૂપ છોડીને વિલીન થઈ જાય છે, તેમ જ વિદ્વાન પુરુષ નામ અને રૂપથી મુક્ત થઈ, સર્વોચ્ચ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે.
સ યો હ વૈ તત્ પરમં બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ નાસ્યાબ્રહ્મવિત્કુલે ભવતિ । તરતિ શોકં તરતિ પાપ્માનં ગુહાગ્રન્થિભ્યો વિમુક્તોઽમૃતો ભવતિ
જે મનુષ્ય પરમ બ્રહ્મને સાચે ઓળખે છે, એ પોતે બ્રહ્મરૂપ બની જાય છે; તેના કુળમાં ક્યારેય અબ્રહ્મજ્ઞાની જન્મતો નથી. એ દુઃખ અને પાપને પાર કરે છે અને હૃદયના બંધનોથી મુક્ત થઈ અમર બની જાય છે.
તદેતદૃચાઽભ્યુક્તમ્ । ક્રિયાવન્તઃ શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠાઃ સ્વયં જુહ્વત એકર્ષિં શ્રદ્ધયન્તઃ । તેષામેવૈતાં બ્રહ્મવિદ્યાં વદેત શિરોવ્રતં વિધિવદ્ યૈસ્તુ ચીર્ણમ્
આ વાત ઋચામાં પણ કહી છે: જે કર્મશીલ, શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ છે, પોતે શ્રદ્ધાપૂર્વક એક અગ્નિમાં હવન કરે છે, એમને જ બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપવું, જેમણે શિરોવ્રત યોગ્ય રીતે પાળ્યું છે.
તદેતત્ સત્યમૃષિરઙ્ગિરાઃ પુરોવાચ નૈતદચીર્ણવ્રતોઽધીતે । નમઃ પરમઋષિભ્યો નમઃ પરમઋષિભ્યઃ
આ સાચી વાત છે: ઋષિ અંંગિરાએ પ્રાચીન સમયમાં કહી હતી. જેને શિરોવ્રત પાળ્યું નથી, એ આ શાસ્ત્રનો અભ્યાસ કરી શકતો નથી. પરમ ઋષિઓને વંદન, પરમ ઋષિઓને વંદન.