વાલીનો વધ કરીને સુગ્રીવને રાજ સિંહાસન પર બેસાડ્યા પછી, રામ માલ્યવત પર્વતની ઢાળ પર નિવાસ કરતા હતા. ત્યાં તેમણે લક્ષ્મણ સાથે વાત કરી. રામે કહ્યું, “લક્ષ્મણ, હવે વરસાદની ઋતુ આવી ગઈ છે; આકાશમાં પહાડ જેવા ઘણા વાદળો છવાઈ ગયા છે. આકાશે જાણે નવ મહિના સુધી સૂર્યની કિરણોને ગર્ભમાં ધારણ કર્યું છે, હવે સમુદ્રના રસને પીને વરસાદ રૂપે અમૃતની ઉત્પત્તિ કરે છે.