ક્ષીણે મન્વન્તરે પૂર્વે પ્રવૃત્તે ચાપરે પુનઃ
જ્યારે પેહલો મન્વંતર પૂરો થાય છે અને બીજો ફરી શરૂ થાય છે,
સપ્તર્ષયો મનુશ્ચૈવ કાલાપેક્ષાસ્તુ યે સ્થિતાઃ
ત્યારે સમય પ્રમાણે સપ્તર્ષિ અને મનુ સ્થિર થાય છે.
મન્વન્તરોત્સવસ્યાર્થે સંતત્યર્થે ચ સર્વદા
મન્વંતર ઉત્સવ માટે અને સતત ચાલતા રહેવા માટે હંમેશા,
દ્વન્દ્વેષુ સંપ્રવૃત્તેષુ ઉત્પન્નાસ્વૌષધીષુ ચ
જ્યારે જોડીઓ ઉભી થાય છે અને ઔષધિઓ ઉગે છે,
વાર્ત્તાયાં સંપ્રવૃત્તાયાં ધર્મે ચૈવોપસંસ્થિતે
જ્યારે જીવનનિર્વાહ શરૂ થાય છે અને ધર્મ પણ સ્થાપિત થાય છે,
અગ્રામનગરે ચૈવ વર્ણાશ્રમવિવર્જિતે
અને જ્યાં ગામડાં અને શહેરોમાં વર્ણ અને આશ્રમનો ભેદ નથી,
સપ્તર્ષયો મનુશ્ચૈવ સંતાનાર્થં વ્યવસ્થિતાઃ
સપ્તર્ષિ અને મનુ સતત ચાલતા રહેવા માટે સ્થિર થાય છે.
ઉત્પદ્યન્તે હિ પૂર્વેષાં નિધનેષ્વિહ પૂર્વવત્
પહેલા આવેલા અહીં અંત પામે ત્યારે, નવા લોકો પેહલા જેવી રીતે જન્મે છે.
સર્પા ભૂતપિશાચાશ્ચ ગન્ધર્વા યક્ષરાક્ષસાઃ
સર્પો, ભૂત, પિશાચ, ગંધર્વો, યક્ષો અને રાક્ષસો,
સપ્તર્ષયો મનુશ્ચવ હ્યાદૌ મન્વન્તરસ્ય હિ
સાત ઋષિઓ અને મનુ, મન્વંતરની શરૂઆતમાં,
ઋષીણાં બ્રહ્મચર્યેણ ગત્વાનૃણ્યં તુ વ તદા
ઋષિઓએ બ્રહ્મચર્ય પાળીને એ સમયે બધાં ઋણમાંથી મુક્તિ પામી હતી.
શતંવર્ષસહસ્રાણાં ધર્મે વર્ણાત્મકે સ્થિતાઃ
એ લોકો લાખ વર્ષ સુધી પોતાના ધર્મ અને વર્ણ અનુસાર સ્થિર રહ્યા.
સ્થાપયિત્વાશ્રમાંશ્ચૈવ સ્વર્ગાય દેધિરે મનઃ
પછી પોતપોતાના આશ્રમ સ્થાપી, સ્વર્ગની પ્રાપ્તિ માટે મન લગાવ્યું.
પૂર્વદેવાસ્તતસ્તે વૈ સ્થિતા ધર્મેણ કૃત્સ્નશઃ
પહેલા દેવતાઓ પણ પૂર્ણપણે ધર્મમાં સ્થિર રહ્યા.
મન્ત્રૈઃ સહોર્ધ્વં ગચ્છન્તિ મહર્લોકમનામયમ્
મંત્રોના સહારે, તેઓ ઉપર નિર્દોષ મહર્લોકમાં જાય છે.
અવેક્ષમાણા વશિનસ્તિષ્ઠન્ત્યા ભૂતસંપ્લવાત્
આ આત્મસંયમી લોકો સર્વજનોના લય સુધી ત્યાં જ રહે છે અને અવલોકન કરે છે.
શૂન્યેષુ દેવસ્થાનેષુ ત્રૈલોક્યે તેષુ સર્વશઃ
જ્યારે ત્રણેય લોકના દેવસ્થાન ખાલી થાય છે, ત્યારે બધા સ્થળોએ,
તતસ્તે તપસા યુક્તાઃ સ્થાનાન્યાપૂરયન્તિ ચ
ત્યારે તેઓ તપના બળથી એ સ્થાન ફરીથી ભરવા લાગે છે.
સપ્તર્ષીણાં મનોશ્ચૈવ દેવાનાં પિતૃભિઃ સહ
સાત ઋષિ, મનુ અને દેવતાઓ, પિતૃઓ સાથે,
તેષાં સંતત્યવિચ્છેદ ઇહામન્વન્તરક્ષયાત્
મન્વંતરનાં અંતે પણ, એમની વંશ પરંપરા અહીં તૂટી નથી.
મન્વન્તરેષુ સર્વેષુ યાવદાભૂતસંપ્લવમ્
બધા મન્વંતરોમાં, સર્વજનોના લય સુધી,
અતીતાનાગતાનાં વૈ પ્રોક્તં સ્વાયંભુવેન તુ
ભૂતકાળ અને ભવિષ્ય વિશે, સ્વયંભુએ આવું કહ્યું છે.
એવં સંતત્યવિચ્છેદો ભવત્યાભૂતસંપ્લવાત્
આ રીતે, સર્વજનોના લય સુધી વંશ પરંપરા અવિરત રહે છે.
મહાજનં ચૈવ જનાન્તપશ્ચ ચૈકાન્તગાનિ પ્રભવન્તિ સત્યે
મહાન લોકો અને પ્રજાનો અંત માત્ર સત્યયુગમાં જ થાય છે.
સ્ત્યે સ્થિતા નિત્યતયા તુ નિત્યં પ્રાપ્તે વિકારે પ્રતિસર્ગ કાલે
સત્યયુગમાં તેઓ સદા સ્થિર રહે છે, પણ પુનઃસર્જન સમયે પરિવર્તન આવે છે.
તતો ઽભિયોગા વિષયપ્રહાણાદ્વિશન્તિ નારાયણમેવ દેવમ્
પછી વિષયોથી વિમુખ થઈ, સંયમથી, તેઓ માત્ર નારાયણ ભગવાનમાં પ્રવેશ કરે છે.
ક્ષણં ન વૈ તિષ્ઠતિ જીવલોકઃ ક્ષયોદયાભ્યાં પરિવર્તમાનઃ
આ જીવલોક ક્ષણમાત્ર પણ સ્થિર રહેતો નથી; સતત ક્ષય અને વૃદ્ધિથી બદલાતો રહે છે.
વાયુપ્રણીતાન્યુપલભ્ય દૃશ્યાદ્ દિવ્યૌજસાં વ્યાસસમાસયોગૈઃ
પવનથી ચલાવાતા જે વસ્તુઓ દેખાય છે, તે વ્યાસજીના સંક્ષિપ્ત અને વિસ્તૃત ઉપાયો અને દૈવી શક્તિથી સમજાય છે.
સુરેશસપ્તર્ષિપિતૃપ્રજેશૈર્યુક્તાનિ સમ્યક્ પરિવર્ત્તનાનિ
દેવતાઓના સ્વામી, સાત ઋષિ, પિતૃઓ અને પ્રજાપતિઓ સાથે યોગ્ય રીતે આ ચક્રો જોડાયેલા છે.
કીર્તિદ્યુતિખ્યાતિભિરર્ચિતાનાં પુણ્યં હિ વિશ્યાપનમીશ્વરાણામ્
જે લોકો કીર્તિ, તેજ અને પ્રસિદ્ધિથી પૂજાય છે, તેમના માટે દેવતાઓનું રાજ્ય પ્રસરે છે એજ સાચું પુણ્ય છે.