અસક્તબુદ્ધિઃ સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહઃ । નૈષ્કર્મ્યસિદ્ધિં પરમાં સંન્યાસેનાધિગચ્છતિ
જેનું મન સર્વત્ર આસક્તિથી મુક્ત છે, જેણે પોતાને જીત્યો છે અને જેને કોઈ ઈચ્છા નથી, એ મનુષ્ય કર્મના ત્યાગથી પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સિદ્ધિં પ્રાપ્તો યથા બ્રહ્મ તથાઽઽપ્નેતિ નિબોધ મે । સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા
કૌંતેય, હવે સંક્ષેપમાં સાંભળ, જે મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તે કેવી રીતે બ્રહ્મને પામે છે—જે જ્ઞાનની પરમ અવસ્થા છે.
બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાઽઽત્માનં નિયમ્ય ચ। શબ્દાદીન્વિષયાંસ્ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ
શુદ્ધ બુદ્ધિ અને દૃઢ સંકલ્પથી, મનને વશમાં રાખી, ધ્વનિ વગેરે વિષયોને છોડીને, રાગ અને દ્વેષને દૂર કરીને,
વિવિક્તસેવી લધ્વાશી યતકાક્કાયમાનસઃ। ધ્યાનયોગપરો નિત્યં વૈરાગ્યં સમુપાશ્રિતઃ
જે એકાંતમાં રહે છે, મર્યાદિત ખોરાક લે છે, શરીર અને મન પર સંયમ રાખે છે, સતત ધ્યાન અને યોગમાં તત્પર રહે છે અને વૈરાગ્ય અપનાવે છે,
અહઙ્કારં બલં દર્પં કામં ક્રોધં પરિગ્રહમ્ । વિમુચ્ય નિર્મમઃ શાન્તો બ્રહ્મભૂયાય કલ્પતે
અહંકાર, બળ, અભિમાન, ઇચ્છા, ક્રોધ અને 'મારું'પણું છોડી, નિર્મમ અને શાંત બની, એવો મનુષ્ય બ્રહ્મમાં લય થવા યોગ્ય બને છે.
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિક ન કાઙ્ક્ષતિ । સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્તભક્તિં લભતે પરામ્
જ્યારે મનુષ્ય બ્રહ્મરૂપ બને છે, ત્યારે તેનો અંતઃકરણ પ્રસન્ન રહે છે; એ ન તો શોક કરે છે, ન તો કંઈ ઇચ્છે છે; સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખીને, એ મને પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે.
ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્ત્વતઃ। તતો માં તત્ત્વતો જ્ઞાત્વા વિશતે તદનન્તરમ્
મારી ભક્તિ દ્વારા, મનુષ્ય મને મારા સાચા સ્વરૂપે ઓળખે છે; અને એમ જાણ્યા પછી, તરત જ એ મારો સહવાસ પામે છે.
સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ । મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ્
જે વ્યક્તિ સર્વ કર્મો કરતા પણ મને આશ્રયે રહે છે, એ મારા પ્રસાદથી શાશ્વત અને અવિનાશી સ્થાન પ્રાપ્ત કરે છે.
ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ । બુદ્ધિયોગમપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ
તમારું મન મારી ભક્તિમાં લગાડો, સર્વ કર્મો મને અર્પણ કરો, બુદ્ધિયોગનો આધાર લો અને હંમેશા મનથી મને સ્મરણ કરો.
મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાત્તરિષ્યસિ । અથ ચેત્ત્વમહઙ્કારાન્ન શ્રોષ્યસિ વિનઙ્ક્ષ્યસિ
મનને મારી અંદર સ્થિર રાખશો તો, મારા કૃપાથી તમે સર્વ મુશ્કેલીઓ પાર કરી લેશો; પણ જો અહંકારથી મારી વાત ન સાંભળો, તો તમારું વિનાશ થશે.
યદહઙ્કારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે । મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ
જો અહંકારવશ તમે વિચારો કે 'હું યુદ્ધ નહીં કરું', તો એ તમારો નિર્ણય ખોટો છે; કારણ કે તમારી સ્વભાવજ કૃતિ તમને કરવા મજબૂર કરશે.
સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધઃ સ્વેન કર્મણા । કર્તું નેચ્છસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોપિ તત્
હે કુંતીપુત્ર, તું તારી જાતજ સ્વભાવથી બંધાયેલો છે; મોહવશ તું કર્મ કરવા ઇચ્છતો ન હોવા છતાં, તારે તે બેસમજુર કરી જવું પડશે.
ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ। ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારૂઢાનિ માયયા
હે અર્જુન, સર્વ પ્રાણીઓના હૃદયમાં ભગવાન વસે છે અને માયાના યંત્ર પર બેસાડીને બધાને ફેરવે છે.
તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત। તત્પ્રસાદાત્પરાં શાન્તિં સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતં
હે ભારત, તું સર્વ ભાવથી એ ભગવાનનો આશ્રય લે; એના પ્રસાદથી તને પરમ શાંતિ અને શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે.
ઇતિ તે જ્ઞાનમાખ્યાતં ગુહ્યાદ્ગુહ્યતરં મયા । વિમૃશ્યૈતદશેષેણ યથેચ્છસિ તથા કુરુ
હું તને સર્વથી ગુપ્ત જ્ઞાન કહ્યું છે; હવે તું આ બધું સારી રીતે વિચારીને, જે તને યોગ્ય લાગે તે પ્રમાણે કર.
સર્વગુહ્યતમં ભૂયઃ શ્રૃણુ મે પરમં વચઃ । ઇષ્ટેઽસિ મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ્
હવે ફરીથી મારા પરમ ગુપ્ત વચન સાંભળ, કારણ કે તું મને ખૂબ પ્રિય છે, તેથી હું તારા હિત માટે કહું છું.
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ । મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે
મનને મારી અંદર સ્થિર રાખ, મારી ભક્તિ કર, મને પૂજ, મને વંદન કર; એ રીતે તું નિશ્ચિતપણે મારી પાસે આવશે, કારણ કે તું મને પ્રિય છે, એ હું તને વચન આપું છું.
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ । અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ
બધા ધર્મો ત્યજીને, માત્ર મારું જ આશ્રય લે; હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, તું શોક ન કર.
ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન। ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ
આ વચન ક્યારેય પણ એવા માણસને ન કહેવું, જે તપસ્વી નથી, ભક્ત નથી, સેવા કરતો નથી અથવા મારા પર દોષ મૂકતો હોય.
ય ઇદં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વભિધાસ્યતિ। ભક્તિં મયિ પરાં કૃત્વા મામેવૈષ્યત્યસંશયઃ
જે મારા ભક્તોમાં આ પરમ ગુપ્ત વચન કહેશે અને મારી પરમ ભક્તિ ધરાવશે, એ નિશ્ચયે મારી પાસે આવશે.
ન ચ તસ્માન્મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ । ભવિતા ન ચ મે તસ્માદન્યઃ પ્રિયતરો ભુવિ
માણસોમાં એના કરતાં વધારે પ્રિય મને કોઈ નહીં હોય; અને ધરતી પર પણ એના સિવાય બીજું કોઈ મને વધારે પ્રિય નહીં થાય.
અધ્યેષ્યતે ચ ય ઇમં ધર્મ્યં સંવાદમાવયોઃ । જ્ઞાનયજ્ઞેન તેનાહમિષ્ટઃ સ્યામિતિ મે મતિઃ
જે આ ધર્મયુક્ત સંવાદને અભ્યાસ કરશે, એ જ્ઞાનયજ્ઞથી મને પૂજ્ય ગણાશે—મારી એવી પક્કી માન્યતા છે.
શ્રદ્ધાવાનનસૂયશ્ચ શ્રૃણુયાદપિ યો નરઃ। સોપિ મુક્તઃ શુભાઁલ્લોકાન્પ્રાપ્નુયાત્પુણ્યકર્મણાં
જે મનુષ્ય શ્રદ્ધા સાથે અને ઈર્ષ્યા વિના આ સંવાદ સાંભળે છે, એ પણ પુણ્યકર્મથી મુક્તિ પામે છે અને શુભ લોકોમાં પહોંચે છે.
કચ્ચિદેતચ્છ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા । કચ્ચિદજ્ઞાનસંમોહઃ પ્રનષ્ટસ્તે ધનંજય
પાર્થ, શું તું આ બધું એકાગ્ર ચિત્તથી સાંભળ્યું છે? ધનંજય, અજ્ઞાનથી થયેલો તારો ભ્રમ હવે દૂર થયો છે ને?
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાઽચ્યુત । સ્થિતોઽસ્મિ ગતસંદેહઃ કરિષ્યે વચનં તવ
હે અચ્યૂત, આપની કૃપાથી મારું મોહ દૂર થઈ ગયું છે, સ્મૃતિ પાછી આવી છે. હવે હું નિશ્ચયપૂર્વક, સંશય વિના, આપના વચન અનુસાર ચલિશ.
ઇત્યહં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ। સંવાદમિમમશ્રૌષમદ્ભુતં રોમહર્ષણમ્
હું વાસુદેવ અને મહાન આત્માવાળા પાર્થ વચ્ચે થયેલો આ અદ્દભુત અને રોમાંચક સંવાદ સાંભળ્યો.
વ્યાસપ્રસાદાચ્છ્રુતવાનેતદ્ગુહ્યમહં પરમ્। યોગં યોગેશ્વરાત્કૃષ્ણાત્સાક્ષાત્કથયતઃ સ્વયમ્
વ્યાસજીની કૃપાથી મેં યોગેશ્વર કૃષ્ણ પાસેથી, એમના પોતાના મોઢેથી, આ પરમ ગુપ્ત યોગ સીધો સાંભળ્યો છે.
રાજન્સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ભુતમ્ । કેશવાર્જુવયોઃ પુણ્યં હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ
રાજા, જ્યારે જ્યારે હું કેશવ અને અર્જુન વચ્ચે થયેલી આ અદ્ભુત અને પવિત્ર વાતચીતને ફરી ફરી યાદ કરું છું, ત્યારે મને વારંવાર આનંદ થાય છે.
તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતં હરેઃ। વિસ્મયો મે મહાન્રાજન્હૃષ્યામિ ચ પુનઃ પુનઃ
અને જ્યારે જ્યારે હું હરિનું એ અતિ અદ્ભુત રૂપ યાદ કરું છું, ત્યારે રાજા, મને મહાન આશ્ચર્ય થાય છે અને હું ફરી ફરી આનંદ અનુભવું છું.
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ । તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ
જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુષ ધારણ કરનાર પાર્થ છે, ત્યાં સુખ, વિજય, સમૃદ્ધિ અને અડગ ધર્મ હંમેશા રહે છે—એવું મારો દૃઢ મત છે.