આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ । યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શ્રૃણુ
ભોજન પણ દરેકને ત્રણ પ્રકારનું પ્રિય હોય છે. એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ છે. હવે એના ભેદો સાંભળ.
આયુઃસત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ । રસ્યાઃસ્રિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃસાત્વિકપ્રિયાઃ
જે ખોરાક આયુષ્ય, શુદ્ધતા, તાકાત, આરોગ્ય, આનંદ અને સંતોષ વધારતો હોય, જે સ્વાદિષ્ટ, તેલવાળો, પૌષ્ટિક અને મનગમતો હોય, એવો ખોરાક સાત્વિક સ્વભાવવાળાને ખૂબ પસંદ પડે છે.
કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિનઃ । આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકામયપ્રદાઃ
જે ખોરાક કડવો, ખાટો, ખારો, બહુ જ ગરમ, તીખો, સુકું અને દાઝતો હોય, એવો ખોરાક રાજસિક સ્વભાવવાળાને ગમતો હોય છે અને એ દુઃખ, શોક અને રોગ આપે છે.
યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત્। ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસપ્રિયમ્
જે ખોરાક બેસી ગયો હોય, સ્વાદ વગરનો હોય, દુર્ગંધયુક્ત, બગડેલો, બચેલો કે અશુદ્ધ હોય, એવો ખોરાક તામસિક સ્વભાવવાળાને પ્રિય હોય છે.
અફલાકાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે। યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ
જે યજ્ઞ શાસ્ત્રોક્ત રીતે, ફળની ઈચ્છા વિના અને 'આ કરવું જ જોઈએ' એમ મનમાં નિશ્ચય રાખીને કરવામાં આવે, એ સાત્વિક ગણાય છે.
અભિસંઘાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્। ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્
પણ, હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ ફળ માટે કે દેખાડા માટે કરવામાં આવે, એ યજ્ઞને રાજસિક જાણ.
વિધિહીનમસૃષ્ટાન્નં મન્ત્રહીનમદક્ષિણમ્ । શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે
જે યજ્ઞ નિયમ વિરુદ્ધ, અન્ન વિના, મંત્ર વિના, દક્ષિણાવગર અને શ્રદ્ધા વગર કરવામાં આવે, એ તામસિક કહેવાય છે.
દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્ । બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે
દેવ, દ્વિજ, ગુરુ અને વિદ્વાનોની પૂજા, શુદ્ધતા, સધ્ધાઈ, બ્રહ્મચર્ય અને અહિંસા—આ બધું શરીરનું તપ કહેવાય છે.
અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્ । સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્ભયં તપ ઉચ્યતે
જે વાણીથી કોઈને દુઃખ ન થાય, જે સત્ય, મીઠી અને હિતકારી હોય, તથા શાસ્ત્રપાઠ અને અભ્યાસ—આ બધું વાણીનું તપ કહેવાય છે.
મનઃપ્રસાદઃ સમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહઃ । ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે
મનનો પ્રસાદ, સરળતા, મૌન, આત્મસંયમ અને ભાવની શુદ્ધતા—આ બધું મનનું તપ કહેવાય છે.
શ્રદ્ધયા પરયા તપ્તં તપસ્તત્રિવિધં નરૈઃ । અફલાકાઙ્ક્ષિભિર્યુક્તૈઃ સાત્વિકં પરિચક્ષતે
આ ત્રણ પ્રકારનું તપ, જે શ્રદ્ધાપૂર્વક અને ફળની ઈચ્છા વિના સ્થિર મનવાળાઓ કરે છે, એ સાત્વિક કહેવાય છે.
સત્કારમાનપૂજારાથં તપો દમ્ભેન ચૈવ યત્ । ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્
માન, સન્માન કે પૂજાની ઈચ્છાથી, કે દેખાડા માટે જે તપ કરવામાં આવે, એ તપ રાજસિક કહેવાય છે; એ ચંચળ અને ટકાઉ નથી.
મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપઃ । પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહૃતમ્
જે તપ મૂર્ખતાથી, પોતાને પીડા આપી કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે, એ તપ તામસિક કહેવાય છે.
દાતવ્યમિતિ યદ્દાનં દીયતેઽનુપકારિણે । દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્વિકં સ્મૃતમ્
‘આ આપવું જોઈએ’ એમ વિચારી, જે દાન યોગ્ય સમયે, યોગ્ય સ્થાન પર, યોગ્ય વ્યક્તિને અને કોઈ પ્રતિફળની આશા વિના અપાય છે, એ દાન સાત્વિક કહેવાય છે.
યત્તુ પ્રત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુનઃ । દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ્
પણ જે દાન બદલામાં કંઈક મેળવવા માટે, ફળની આશાથી કે મન દુઃખી કરીને અપાય છે, એ દાન રાજસિક કહેવાય છે.
અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે। અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહૃતમ્
જે દાન અયોગ્ય સમયે, અયોગ્ય સ્થળે, અયોગ્ય વ્યક્તિને, અવમાનના કે અવગણના સાથે અપાય છે, એ દાન તામસિક કહેવાય છે.
ઓંતત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધઃ સ્મૃતાઃ । બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા
‘ઑમ’, ‘તત્’, ‘સત્’—આ ત્રણ શબ્દો બ્રહ્મનું નામ છે. એના દ્વારા બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો પ્રાચીનકાળથી સ્થાપિત થયા છે.
તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાનતપઃક્રિયાઃ । પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતં બ્રહ્મવાદિનામ્
એથી, ‘ઑમ’ ઉચ્ચારીને, યજ્ઞ, દાન અને તપની ક્રિયાઓ શાસ્ત્રોક્ત રીતે બ્રહ્મને ઈચ્છનારા લોકો હંમેશાં આરંભે છે.
તદિત્યનભિસંધાય ફલં યજ્ઞતપઃક્રિયાઃ । દાનક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાઙ્ક્ષિભિઃ
આ રીતે, ફળની ઇચ્છા રાખ્યા વિના, જે લોકો મુક્તિ ઇચ્છે છે તેઓ યજ્ઞ, તપ અને વિવિધ દાનના કાર્યો કરે છે.
સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્પ્રુયુજ્યતે। પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે
'સત્' શબ્દ સત્ય અને સારા અર્થમાં વપરાય છે; હે પાર્થ, એ પ્રશંસનીય કર્મ માટે પણ કહેવાય છે.
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે । કર્મ ચૈવ તદર્થીયં સાદિત્યેવાભિધીયતે
યજ્ઞ, તપ અને દાનમાં સ્થિરતા પણ 'સત્' કહેવાય છે; અને એ માટે જે કર્મ થાય છે તેને પણ 'સત્' કહેવાય છે.
અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત્ । અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ
હે પાર્થ, શ્રદ્ધા વિના જે હવન, દાન કે તપ થાય છે, તે 'અસત્' કહેવાય છે—એનું અહીં કે પરલોકમાં કોઈ ફળ નથી.
સંન્યાસત્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ્ । ત્યાગસ્ય ચ હૃષીકેશ પૃથક્કેશિનિપૂદન
હે મહાબાહુ, હું ત્યાગ અને સંન્યાસનું સાચું સ્વરૂપ અને એ બંનેમાં શું ફરક છે તે જાણવા માંગું છું, હે હૃષીકેશ, હે કેશિનિષૂદન.
કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ। સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ
જ્ઞાની લોકો ઇચ્છાવાળા કર્મનો ત્યાગને સંન્યાસ કહે છે; અને વિદ્વાનો સર્વ કર્મફળના ત્યાગને ત્યાગ કહે છે.
ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ । યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે
કેટલાક વિચારકો કહે છે કે કર્મ ત્યાજ્ય છે, કારણ કે તેમાં દોષ છે; જ્યારે બીજા કહે છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મ ક્યારેય ત્યાગવા ન જોઈએ.
નિશ્ચયં શ્રૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ। ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધઃ સંપ્રકીર્તિતઃ
હે ભરતશ્રેષ્ઠ, ત્યાગ વિષે મારી નિશ્ચિત વાત સાંભળ; કારણ કે, હે પુરુષસિંહ, ત્યાગ ત્રણ પ્રકારનો કહેવાયો છે.
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્। યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્
યજ્ઞ, દાન અને તપ જેવા કર્મ ક્યારેય ત્યાગવા ન જોઈએ, એ તો કરવાનું જ છે; કારણ કે યજ્ઞ, દાન અને તપ જ્ઞાનો માટે પવિત્ર બનાવનારા છે.
એતાન્યપિ તુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ફલાનિ ચ । કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ્
હે પાર્થ, આ કર્મો પણ આસક્તિ અને ફળની ઇચ્છા છોડીને કરવાં જોઈએ—આ મારું નિશ્ચિત અને શ્રેષ્ઠ મત છે.
નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે । મોહાત્તસ્ય પરિત્યાગસ્તામસઃ પરિકીર્તિતઃ
નિયત કર્મનો સંન્યાસ યોગ્ય નથી; મોહથી જે ત્યાગ થાય છે, તે તામસ ત્યાગ કહેવાય છે.
દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ । સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્
જે માણસ શરીરનાં દુઃખના ડરથી કે મુશ્કેલીથી કર્મ ત્યાગે છે, એ રજસ ત્યાગ કરે છે અને તેને ત્યાગનું ફળ મળતું નથી.