યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશં નોપલિપ્યતે। સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે
જેમ સર્વત્ર વ્યાપેલા આકાશને તેની સુક્ષ્મતાને કારણે કશું લપટતું નથી, તેમ આત્મા પણ દરેક શરીરમાં વસે છતાં કશુંએ લપટાતો નથી.
યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ । ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત
જેમ એક સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે, તેમ ક્ષેત્રજ્ઞ આખા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, હે ભારત.
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોરેવમન્તરં જ્ઞાનચક્ષુષા । ભૂતપ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ્
જે લોકો જ્ઞાનની દ્રષ્ટિથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો ભેદ અને પ્રકૃતિમાંથી જીવોની મુક્તિને ઓળખે છે, તેઓ પરમ પદને પામે છે.
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ । યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ
હું ફરીથી તને જ્ઞાનોમાં શ્રેષ્ઠ એવા પરમ જ્ઞાન કહું છું, જેને જાણીને બધા મુનિઓ અહીંથી પરમ સિદ્ધિ પામ્યા છે.
ઇદં જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ। સર્ગેઽપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથન્તિ ચ
આ જ્ઞાનને આધાર બનાવી, જે લોકો મારા સમાન સ્વરૂપ પામ્યા છે, તેઓ સર્જન સમયે જન્મતા નથી અને પ્રલય સમયે દુઃખ પામતા નથી.
મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ । સંભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત
મારી યોનિ મહાન બ્રહ્મ છે; તેમાં હું બીજ મૂકો છું. હે ભારત, એમાંથી સર્વ જીવોની ઉત્પત્તિ થાય છે.
સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવન્તિઃ યાઃ । તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા
હે કૌંતેય, સર્વ યોનિમાં જે-જે રૂપો જન્મે છે, તેમાં મહાન બ્રહ્મ યોનિ છે અને હું બીજ આપનાર પિતા છું.
સત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસંભવાઃ । નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્
સત્વ, રજ અને તમ—આ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે; હે મહાબાહુ, એ અવિનાશી જીવને શરીરમાં બાંધે છે.
તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્ । સુખસઙ્ગેન બધ્નાતિ જ્ઞાનસઙ્ગેન ચાનઘ
ત્યાં સત્વ ગુણ શુદ્ધ હોવાથી પ્રકાશરૂપ અને નિરોગી છે; એ સુખ અને જ્ઞાનની લગાવથી મનુષ્યને બાંધે છે, હે નિર્દોષ.
રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્ । તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મસઙ્ગેન દેહિનમ્
રાજસ ગુણ રાગથી ભરેલો છે, જે ઇચ્છા અને આસક્તિમાંથી થાય છે; એ કર્મમાં લગાવથી શરીરધારીને બાંધે છે, હે કુંતીપુત્ર.
તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનામ્ । પ્રમાદાલસ્યનિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત
તમે જાણો કે તમસ ગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને બધા જીવને ભ્રમમાં મૂકે છે; એ અલસતા, ઉદાસીનતા અને ઊંઘથી બાંધે છે, હે ભારત.
સત્વં સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત । જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત
સત્વ ગુણ સુખ તરફ લઈ જાય છે, રાજસ કર્મમાં લગાડે છે, અને તમસ જ્ઞાનને ઢાંકીને ઉદાસીનતા તરફ દોરી જાય છે, હે ભારત.
રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત। રજઃ સત્વં તમશ્ચૈવ તમઃ સત્વં રજસ્તથા
જ્યારે સત્વ ગુણ રાજસ અને તમસને જીતે છે ત્યારે એ પ્રભલ બને છે; તેમ જ, રાજસ સત્વ અને તમસને, અને તમસ પણ સત્વ અને રાજસને ક્યારેક દબાવે છે, હે ભારત.
સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રાકાશ ઉપજાયતે। જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્વમિત્યુત
જ્યારે આ શરીરમાં બધા ઇન્દ્રિયદ્વારોમાં પ્રકાશ ફેલાય છે, ત્યારે સમજવું કે સત્વ ગુણ વધી ગયો છે.
લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા । રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ
લોભ, પ્રવૃત્તિ, કામ શરૂ કરવું, બેચેની અને ઇચ્છા—આ બધું જ્યારે રાજસ ગુણ વધે ત્યારે થાય છે, હે ભારતશ્રેષ્ઠ.
અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ । તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન
અંધકાર, નિષ્ક્રિયતા, ઉદાસીનતા અને ભ્રમ—આ બધું જ્યારે તમસ ગુણ વધે ત્યારે થાય છે, હે કુરુનંદન.
યદા સત્વે પ્રવૃદ્ધે તુ પ્રલયં યાતિ દેહભૃત્ । તદોત્તમવિદાં લોકાનમલાન્પ્રતિપદ્યતે
જ્યારે મૃત્યુ સમયે શરીરધારીમાં સત્વ ગુણ વધારે હોય છે, ત્યારે એ શ્રેષ્ઠ જ્ઞાનીઓના શુદ્ધ લોકને પ્રાપ્ત કરે છે.
રજસિ પ્રલયં ગત્વા કર્મસઙ્ગિષુ જાયતે । તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે
રાજસ ગુણમાં મૃત્યુ પામ્યા પછી મનુષ્ય કર્મમાં આસક્ત લોકોમાં જન્મે છે; અને તમસ ગુણમાં મૃત્યુ પામે ત્યારે મૂર્ખ યોનિમાં જન્મે છે.
કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલમ્। રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્
સારા કર્મનું ફળ શુદ્ધ અને સત્વગુણી કહેવાય છે; રાજસનું ફળ દુઃખ છે અને તમસનું ફળ અજ્ઞાન છે.
સત્વાત્સંજાયતે જ્ઞાનં રજસો લોભ એવ ચ। પ્રમાદમોહૌ તમસો ભવતોઽજ્ઞાનમેવ ચ
સત્વમાંથી જ્ઞાન થાય છે, રાજસમાંથી માત્ર લોભ જન્મે છે; તમસમાંથી ઉદાસીનતા, ભ્રમ અને ખરેખર અજ્ઞાન થાય છે.
ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ । જઘન્યગુણવૃત્તસ્થા અઘો ગચ્છન્તિ તામસાઃ
સત્વમાં સ્થિત લોકો ઉપર જાય છે; રાજસવાળા મધ્યમાં રહે છે; અને તમસવાળા, સૌથી નીચા ગુણવાળા, નીચે જાય છે.
નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાઽનુપશ્યતિ । ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોઽધિગચ્છતિ
જ્યારે જોનાર ગુણો સિવાય બીજું કશું કરનાર નથી એવું જુએ છે અને ગુણોથી પરે જે છે એ જાણે છે, ત્યારે એ મારા સ્વરૂપને પામે છે.
ગુણાનેતાનતીત્ય ત્રીન્દેહી દેહસમુદ્ભવાન્ । જન્મમૃત્યુજરાદુઃખૈર્વિમુક્તોઽમૃતમશ્રુતે
આ ત્રણ ગુણો, જે શરીરમાંથી ઉત્પન્ન થાય છે, તેને પાર કરી મનુષ્ય જન્મ, મૃત્યુ, વૃદ્ધાપન અને દુઃખમાંથી મુક્ત થઈ અમરત્વ પામે છે.
કૈર્લિઙ્ગૈસ્ત્રીન્ગુણાનેતાનીતો ભવતિ પ્રભો । કિમાચારઃ કથં ચૈતાંસ્ત્રીન્ગુણાનતિવર્તતે
હે પ્રભુ, કયા લક્ષણોથી જણાય છે કે કોઈએ આ ત્રણ ગુણોને પાર કર્યા છે? એનું વર્તન કેવું હોય છે અને એ કેવી રીતે આ ત્રણ ગુણોને ઓળંગે છે?
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ। ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ
હે પાંડવ, જે પ્રકાશ, પ્રવૃત્તિ કે ભ્રમ આવે ત્યારે તેને દ્વેષતો નથી અને જતાં પણ તેને ઇચ્છતો નથી.
ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે । ગુણા વર્તન્ત ઇત્યેવ યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે
જે ગુણોથી અપ્રભાવિત રહીને નિષ્પક્ષ રહે છે, અને જાણે છે કે ગુણો જ કાર્ય કરે છે, એવો મનુષ્ય અડગ રહે છે.
સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ । તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ
જે વ્યક્તિ સુખ-દુઃખમાં સમાન રહે છે, મનથી સ્થિર છે, માટી, પથ્થર અને સોનાને એકસરખું જુએ છે, જેને પ્રિય અને અપ્રિય બંનેમાં ફરક નથી, અને જે નિંદા કે સ્તુતિથી અડગ રહે છે— એ સાચો ધીર છે.
માનાપમાનયોસ્તુલ્યસ્તુલ્યો મિત્રારિપક્ષયોઃ । સર્વારમ્ભપરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે
જેને માન અને અપમાન બંનેમાં કોઈ ફરક નથી, મિત્ર અને દુશ્મન સામે પણ એકસરખો રહે છે, અને જે દરેક કામનો ત્યાગ કરી દે છે— એ જ ગુણોથી પર થયો છે એમ કહેવાય છે.
માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે । સ ગુણાન્સમતીત્યૈતાન્બ્રહ્મ ભૂયાય કલ્પતે
અને જે મને અડગ ભક્તિથી સેવા કરે છે, એ આવા બધા ગુણોને પાર કરી જાય છે અને બ્રહ્મરૂપ થવા યોગ્ય બને છે.
બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમમૃતસ્યાવ્યયસ્ય ચ। શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાન્તિકસ્ય ચ
કારણ કે હું જ બ્રહ્મનું આધાર છું, અમરપણું અને અવિનાશીપણું, શાશ્વત ધર્મ અને સર્વોત્તમ આનંદ— આ બધાનું મૂળ હું જ છું.