યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે। મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ
જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બનેલા ભાવો છે, એ બધાં મારો જ ભાગ છે—આ જાણ; પણ હું એમાં નથી, એ બધાં મારામાં છે.
ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્ । મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્
આ ત્રણ ગુણોથી આખું જગત મોહિત છે; એ મને ઓળખતું નથી, કેમ કે હું એ ગુણોથી પર અને અવિનાશી છું.
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા । મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે
મારી આ દૈવી ગુણોથી બનેલી માયા બહુ મુશ્કેલ છે પાર કરવી; પણ જે લોકો મારી શરણ લે છે, એ આ માયાને પાર કરી જાય છે.
ન માં તુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ । માયયાઽપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ
પણ દુષ્ટ, મૂર્ખ અને સૌથી નીચ મનુષ્યો, જેમનું જ્ઞાન માયાએ હરી લીધું છે અને જે અસુર સ્વભાવ ધરાવે છે, એ લોકો મારી શરણ નથી લેતા.
ચુત્રર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન। આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ
હે અર્જુન, ચાર પ્રકારના સદ્ગુણી લોકો મારી ઉપાસના કરે છે: કોઈ દુઃખી હોય છે, કોઈ જ્ઞાન મેળવવા ઈચ્છે છે, કોઈ ધન માટે આવે છે અને કોઈ જ્ઞાની હોય છે, હે ભરતવંશી.
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે । પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ
આ બધામાં જ્ઞાની, જે હંમેશા એકાગ્ર અને એકમાત્ર ભક્તિથી જોડાયેલો રહે છે, એ શ્રેષ્ઠ છે; કારણ કે હું જ્ઞાનીને બહુ પ્રિય છું અને એ પણ મને પ્રિય છે.
ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ । આસ્થિતઃક સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિં
આ બધા મહાન છે, પણ મારા મત પ્રમાણે જ્ઞાની તો મારા જ સમાન છે; કારણ કે એ સ્થિર મનથી મને સર્વોચ્ચ ધ્યેય માને છે અને મારી અંદર સ્થિર રહે છે.
બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે । વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ
ઘણા જન્મો પછી જ્ઞાનવાન માણસ મને શરણે આવે છે, અને સમજે છે કે વાસુદેવ જ સર્વ છે; એવો મહાન આત્મા બહુ દુર્લભ છે.
કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ । તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા
જે લોકોની બુદ્ધિ વિવિધ ઈચ્છાઓથી હરાઈ ગઈ છે, એ લોકો અલગ અલગ દેવતાઓની ઉપાસના કરે છે, પોતાની પ્રકૃતિ પ્રમાણે વિવિધ નિયમો પાળે છે.
યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ । તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્
જે ભક્ત જે રૂપમાં શ્રદ્ધાથી પૂજા કરવા માંગે છે, એની એ શ્રદ્ધાને હું અડગ અને દૃઢ બનાવી દઉં છું.
સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે । લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિતાન્
એ ભક્ત એ શ્રદ્ધાથી જે રૂપની આરાધના કરે છે, અને એમાંથી પોતાની ઈચ્છિત વસ્તુઓ મેળવે છે, જે હું જ આપું છું.
અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ । દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ
પણ આવા ઓછા સમજદાર લોકો જે ફળ મેળવે છે એ સીમિત હોય છે; દેવતાઓની પૂજા કરનાર દેવલોકમાં જાય છે, અને મારા ભક્તો મારા પાસે આવે છે.
અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ। પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્
જે લોકો સમજથી વંચિત છે, એ મને અવ્યક્તમાંથી વ્યક્ત થયેલો માને છે, કારણ કે એ મારા શ્રેષ્ઠ, અવિનાશી અને સર્વોચ્ચ સ્વરૂપને જાણતા નથી.
નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ । મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્
હું સૌને સ્પષ્ટ દેખાતો નથી, કારણ કે મારી યોગમાયાથી ઢંકાયેલો છું; આ મોહગ્રસ્ત જગત મને અજન્મા અને અવિનાશી તરીકે ઓળખતું નથી.
વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન। ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન
હે અર્જુન, હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા જીવોને જાણું છું, પણ મને કોઈ જાણતું નથી.
ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત । સર્વભૂતાનિ સંમોહં સર્ગે યાન્તિ પરંતપ
હે ભરત, ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા દ્વંદ્વમોહથી બધા જીવો જન્મ સમયે મોહમાં પડી જાય છે, હે શત્રુઓને હરાવનાર.
યોષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ । તે દ્વન્દ્વમોહનિર્મુક્ત ભજન્તે માં દૃઢવ્રતાઃ
પણ જેમના પાપો અંતે સમાપ્ત થઈ ગયા છે, જેમના કર્મ સારા છે, અને જે દ્વંદ્વમોહથી મુક્ત છે, એવા દૃઢ સંકલ્પવાળા લોકો મારી ભક્તિ કરે છે.
જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે । તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્
જે લોકો વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ માટે મારી શરણે આવે છે, એ સમગ્ર બ્રહ્મ, આત્મા અને બધાં કર્મોને જાણે છે.
સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ । પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ
જે લોકો અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સાથે મને જાણે છે, અને જેમનું મન સ્થિર છે, એ લોકો મૃત્યુ સમયે પણ મને ઓળખે છે.
કિં તદ્બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ્। અધિભૂતં ચ કિં પ્રોક્તમધિદૈવં કિમુચ્યતે
એ બ્રહ્મ શું છે? આત્મા શું છે? કર્મ શું છે, હે પુરુષોત્તમ? અધિભૂત કયું કહેવાય છે અને અધિદૈવ કયું કહેવાય છે?
અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસીદન। પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ
હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને કેવી રીતે છે? અને નિયમિત મનવાળા લોકો તું મૃત્યુ સમયે કેવી રીતે ઓળખાય છે?
અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે। ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસંજ્ઞિતઃ
અક્ષર એટલે સર્વોચ્ચ બ્રહ્મ છે; પોતાની સ્વભાવને આત્મા કહે છે; અને જે સૃષ્ટિનું સર્જન કરે છે એ ક્રિયાને કર્મ કહે છે.
અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતમ્ । અધિયજ્ઞોઽહમેવાત્ર દેહે દેહભૃતાં વર
નાશ પામતું બધું જ અદિભૂત કહેવાય છે, દેવતાઓનું સ્વરૂપ પુરુષ છે, અને હે દેહધારી શ્રેષ્ઠ, અહીં યજ્ઞનું સ્થાન તો હું જ છું.
અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્ । યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ
અંત સમયે જે મનુષ્ય માત્ર મને જ સ્મરે છે અને દેહ છોડે છે, એ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે—આમાં કોઈ શંકા નથી.
યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ । તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ
હે કુંતીપુત્ર, અંત સમયે જે જે ભાવને સ્મરીને મનુષ્ય દેહ છોડે છે, એ હંમેશા એ જ ભાવમાં રમીને, એ જ સ્થિતિને પ્રાપ્ત કરે છે.
તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ। મય્યર્પિતમનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયઃ
તેથી, દરેક સમયે મને સ્મર અને યુદ્ધ પણ કર; મન અને બુદ્ધિ મને અર્પણ કરીને, તું નિશ્ચયે મારા પાસે આવશે—આમાં શંકા નથી.
અભ્યાસયોગયુક્તેન ચેતસાઽનાન્યગામિના । પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિન્તયન્
યોગના અભ્યાસથી એકાગ્ર મન રાખીને, બીજે ક્યાંય ન ભટકીને, જે પરમ દિવ્ય પુરુષનું ચિંતન કરે છે, હે પાર્થ, એ તેને પ્રાપ્ત કરે છે.
કવિં પુરાણમનુશાસિતાર- મણોરણીયાંસમનુસ્મરેદ્યઃ । સર્વસ્ય ધાતારમચિન્ત્યરૂપ- માદિત્યવર્ણં તમસઃ પરસ્તાત્
જે મનુષ્ય સર્વજ્ઞ, પ્રાચીન, શાસક, અતિ સૂક્ષ્મ, સર્વનો આધાર, કલ્પના બહારના સ્વરૂપવાળા, સૂર્ય સમાન તેજવાળા અને અંધકારથી પર એવા ભગવાનને સ્મરે છે—
પ્રયાણકાલે મનસાઽચલેન ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ। ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્ય- ક્સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્
પ્રયાણ સમયે, અડગ મનથી, ભક્તિ અને યોગશક્તિથી યુક્ત રહી, ભ્રૂમધ્યમાં પ્રાણને સ્થિર કરીને, એ મનુષ્ય એ પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે.
યદક્ષરં વેદવિદો વદન્તિ વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ । યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે
જે અક્ષય છે, જેને વેદજ્ઞ લોકો વર્ણવે છે, જેને રાગરહિત યતિઓ પ્રાપ્ત કરે છે, જેને ઈચ્છીને બ્રહ્મચર્યનું પાલન કરે છે—એ પદ વિશે હું સંક્ષિપ્તમાં કહું છું.